84 : 1
إِذَا ٱلسَّمَآءُ ٱنشَقَّتْ
૧. જ્યારે આકાશ ફાટી જશે.
★
84 : 2
وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
૨. અને પોતાના પાલનહારનો આદેશ માની લેશે, અને તેના માટે જરૂરી છે કે તે આવું જ કરે.
★
84 : 3
وَإِذَا ٱلْأَرْضُ مُدَّتْ
૩. અને જ્યારે જમીન ફેલાવી દેવામાં આવશે.
★
84 : 4
وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ
૪. અને તેમાં જે કંઇ પણ છે, તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે.
★
84 : 5
وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
૫. અને પોતાના પાલનહારનો આદેશ માની લેશે, અને તેના માટે જરૂરી છે કે તે આવું જ કરે.
★
84 : 6
يَـٰٓأَيُّهَا ٱلْإِنسَـٰنُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَـٰقِيهِ
૬. હે માનવી! તું પોતાના પાલનહાર પાસે પહોચતા સુધી સતત કોઈ મહેનત કરતો રહીશ, અહી સુધી કે તેની પાસે જતો રહીશ.
★
84 : 7
فَأَمَّا مَنْ أُوتِىَ كِتَـٰبَهُۥ بِيَمِينِهِۦ
૭. પછી જેનું કર્મનોંધ તેના જમણા હાથમાં આપવામાં આવશે.
★
84 : 8
فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا
૮. તેનો હિસાબ તો ખુબ જ સરળ લેવામાં આવશે.
★
84 : 9
وَيَنقَلِبُ إِلَىٰٓ أَهْلِهِۦ مَسْرُورًا
૯. અને તે પોતાના ઘરવાળાઓ તરફ ખુશી ખુશી પાછો ફરશે.
★
84 : 10
وَأَمَّا مَنْ أُوتِىَ كِتَـٰبَهُۥ وَرَآءَ ظَهْرِهِۦ
૧૦. હા! જે વ્યક્તિને તેનો કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે.
★
84 : 11
فَسَوْفَ يَدْعُوا۟ ثُبُورًا
૧૧. તો તે નષ્ટતા પોકારશે.
★
84 : 12
وَيَصْلَىٰ سَعِيرًا
૧૨. અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે.
★
84 : 13
إِنَّهُۥ كَانَ فِىٓ أَهْلِهِۦ مَسْرُورًا
૧૩. તે પોતાના ઘરવાળાઓ સાથે (દુનિયામાં) ઘણો ખુશ હતો.
★
84 : 14
إِنَّهُۥ ظَنَّ أَن لَّن يَحُورَ
૧૪. તે સમજતો હતો કે તે ક્યારેય મારી તરફ પાછો નહીં આવે.
★
84 : 15
بَلَىٰٓ إِنَّ رَبَّهُۥ كَانَ بِهِۦ بَصِيرًا
૧૫. કેમ નહી આવે, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો.
★
84 : 16
فَلَآ أُقْسِمُ بِٱلشَّفَقِ
૧૬. હું સંધ્યાની લાલાશની કસમ ખાઉ છુ.
★
84 : 17
وَٱلَّيْلِ وَمَا وَسَقَ
૧૭. અને રાતની અને જે કઈ તે સમેટે છે.
★
84 : 18
وَٱلْقَمَرِ إِذَا ٱتَّسَقَ
૧૮. અને ચંદ્રની, જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે.
★
84 : 19
لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ
૧૯. નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ સુધી પહોંચશો.
★
84 : 20
فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ
૨૦. તેમને શું થઇ ગયું છે કે તેઓ ઇમાન નથી લાવતા.
★
84 : 21
وَإِذَا قُرِئَ عَلَيْهِمُ ٱلْقُرْءَانُ لَا يَسْجُدُونَ ۩
૨૧. અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે, તો સિજદો નથી કરતા.
★
84 : 22
بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ يُكَذِّبُونَ
૨૨. પરંતુ કાફિરો તો જુઠલાવી રહ્યા છે.
★
84 : 23
وَٱللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ
૨૩. અને અલ્લાહ તઆલા ખુબ જાણે છે, જે કંઇ તેમના દિલમાં છે.
★
84 : 24
فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ
૨૪. તેઓને દુ:ખદાયક અઝાબની શુભસુચના સંભળાવી દો.
★
84 : 25
إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍۭ
૨૫. હા, જેઓ ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમના માટે એવો બદલો છે, જે ક્યારેય ખતમ નહી થાય.
★